તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીના જોધપર ખાતે પટેલ સમાજ દ્વારા પાટીદાર કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે. બે મહિના પહેલા શરૂ થયેલા આ સેન્ટરમાં પાટીદાર સમાજના કોરોના પોઝિટિવ દર્દીઓને વિનામૂલ્યે રાખવામાં આવે છે. તથા નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર પણ અપાય છે. બે મહિનામાં 369 દર્દીઓ અત્યાર સુધીમાં દાખલ થયા છે. જેમાં નાનામાં નાનો દર્દી 9 વર્ષનો અને મોટામાં મોટો 85 વર્ષના દર્દીએ સારવાર લીધી છે. સેન્ટરમાં દર્દીને ત્રણ ટાઇમ ભોજન, ચા-નાસ્તો, દવાઓ બધું જ વિનામૂલ્યે આપવામાં આવે છે. જેનો અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ખર્ચ થઇ ચુક્યો છે. આ સારવારને કારણે અત્યાર સુધીમાં 254 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે. હજુ પણ 77 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યાં સુધી કોરોનાની વેક્સીન સરળતાથી મળતી નહીં થઈ જાય ત્યાં સુધી આ સેન્ટર ચાલુ રાખવામાં આવશે.
ખૂબ સારી રીતે સંભાળ લેવાય છે
અહીં સવારે ઉકાળો પછી બાફેલા મગ, પછી ચા-નાસ્તો, પછી લીંબુ શરબત, બપોરે જમવાનું, સાંજે નાસ્તો, નારિયેળ પાણી, રાત્રે જમવાનું અને સૂતી વખતે હળદરવાળું દૂધ અપાય છે. અહીંનો સ્ટાફ તથા સંચાલકો ઘરે ના રાખે એવી રીતે સાચવે છે. અમારી નાની-નાની દરેક જરૂરિયાતોનો ખ્યાલ પણ રાખવામાં આવે છે.
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.