મોરબીના કંડલા બાયપાસ પાસે વાવડી ચોકડી પાસે આવેલી ખારીવાડી શાળા કે જે આજથી છ માસ પહેલા માત્ર 22 વિદ્યાર્થીઓ હોવાના કારણે ધો. 1 થી 5ની જ શાળા રહી અને ધો. 6 થી 8 બાજુની શાળામાં મર્જ થઈ હતી પણ ખારીવાડી વિસ્તારના વાલીઓએ વસંતભાઈ અને નવ રત્નો જેવા યુવા ટીમની જહેમતથી ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ અપાવી વિદ્યાર્થીઓની સંખ્યા 22 માંથી 222 કરી દીધી અને વિદ્યાર્થીઓને ભાવેશભાઈ કંઝારીયા, મહામંત્રી મોરબી શહેર ભાજપ દિપકભાઈ પરમારે સ્કૂલબેગ, બાવરાની વાડીના વાલીઓ તરફથી બુટ મોજા, દામજીભાઈ કંઝારીયા ખોડાભાઈ પરમાર અને માવજીભાઈ કંઝારીયા તરફથી શૈક્ષણિક કીટ અને કે. કે. પરમાર પ્રમુખ નગરપાલિકા અનિલભાઈ કંઝારીયા અને નાનજીભાઈ કંઝારીયા તરફથી આર્થિક યોગદાન પ્રાપ્ત થયું હતું.તમામ દાતાઓને બ્રિજેશભાઈ મેરજા પંચાયત મંત્રી, તેમજ અન્ય આગવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું ગ્રામજનોએ સ્વાગત સન્માન કર્યું હતું. તમામ મહાનુભાવોએ દાતાઓએ બાળહિતમાં કરેલી પ્રવૃત્તિને બિરદાવી હતી.બ્રિજેશભાઈ મેરજાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ વિસ્તારનું નામ ખારીવાડી છે પણ કામ મીઠીવાડી જેવું કર્યું છે, તેમજ મંત્રીએ સરકારની શિક્ષણની વિવિધ યોજનાઓ અને સરકારની વિકાસ વાટીકાની વાતો મૂકી હતી.સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા નવ રત્નો જેવી યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.