ટંકારાના જબલપુર ગામે પરિણીતાએ પોતાના રૂમમાં મોડી રાત્રીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરતા ચકચાર મચી જવા પામ્યો છે. આ મુદ્દે ટંકારા પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જબલપુર ગામે રહેતી સુમીતાબેન જયદિપભાઈ ભાલોડીયાએ રોજ રાત્રીના ચાર વાગ્યા દરમિયાન પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી હતી. જેથી આ બનાવની જાણ વિનોદભાઈ વશરામભાઈ ભાલોડીયાએ ટંકારા સીટી પોલીસને કરી હતી. હાલ પોલીસમાંથી મળેલી માહિતી અનુસાર મૃતક નિઃસંતાન છે. તેના લગ્ન 2 વર્ષ પૂર્વે જયદિપભાઈ સાથે થયા હતા અને હાલ તે સાસુ-સસરા સાથે રહેતી હતી. જો કે તો એવું તો એવું તો શું બન્યું કે પરિણીતાએ જિંદગી ટૂંકાવવાની ફરજ પડી? તેનું ચોક્કસ કારણ જાણવા ટંકારા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.