મોરબી તાલુકાના જેતપુર ગામે પિયર ધરાવતી પરિણીતાએ ધ્રાંગધ્રા ખાતે રહેતા તેના સાસરિયા ત્રાસ ગુજારીને કહેતા કે 'તું વાંજણી છો', માનસિક ત્રાસ ગુજારી પતિ પણ કહેતો 'તું મરી જા'. આ સમગ્ર મામલે પરિણીતાએ પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદી હેતલબેન પરસાડીયાએ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જુના ઘનશ્યામગઢ ગામે રહેતા પતિ રતાભાઇ બુટાભાઇ ગમારા, સસરા બુટાભાઇ શીવાભાઇ ગમારા, સાસુ અનુબેન બુટાભાઇ ગમારા, જેઠ રવજીભાઇ બુટાભાઇ ગમારા, જેઠાણી જયોતીબેન રવજીભાઇ ગમારા અને કાકીજી સાસુ ભાનુબેન મોતીભાઇ ગમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યુ હતું કે, તેમના મારા લગ્ન તારીખ 20/02/2014ના રોજ રતાભાઇ સાથે થયા હતા. અને તેઓ નિ:સંતાન છે. લગ્ન બાદ પતિએ પરિણીતાને સાત વર્ષ સારી રીતે રાખેલ ત્યારબાદ એકાદ વર્ષથી પતિ તથા સાસરિયાઓ 'તું વાંજણી છો' તેમ કહી મેણા-ટોણા મારતા અને અને પરિણીતાને અવાર-નવાર સંતાન નહીં થતા શારીરિક અને માનસિક દુ:ખ ત્રાસ આપતા હતા.
તેમના પતિ રતાભાઈને સાસુ સહિતાના સાસરીયાઓ દ્વારા અવાર નવા૨ ચડામણી કરવામાં આવતી હતી. જેના કારણે તેમના પતિ રતાભાઇ કહેતા કે 'તું ગમતી નથી તું જતી રહે તારી કાઇ જરૂર નથી તું મરી જા' તેમ કહી ઝઘડાઓ કરતા હતા. જેના દુ:ખ ત્રાસના કારણે ગત તારીખ 18/10/2022ના રોજ પતિના ઘરે જાતેથી જીવાત મારવાની ઝેરી દવા પરિણીતાએ પી લીધી હતી. અને તેમના જેઠ રવજીભાઇ ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પીટલ ખાતેથી રજા આપતા પરિણીતાના ભાઇ ગોપાલભાઇ પરસાડીયા તેમને માવતરના ઘરે તેડી આવેલા અને ત્યારથી પરિણીતા માવતરના ઘરે રીસામણે છે અને તેના પતિ, સસરા, સાસુ, જેઠ, જેઠાણી તથા કાકીજી સાસુ વારંવાર દુ:ખ ત્રાસ આપી પરેશાન કરતા પરિણીતાએ મોરબી મહીલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.