સિંહનું નામ પડતાં જ ગીરનું જંગલ યાદ આવે . ભવિષ્યમાં સિંહ પ્રજાતિ પર જોખમ ન આવે તે માટે આ પ્રજાતિને અન્ય સ્થળે પણ વસવાટ કરાવવામાં આવી રહ્યો છે જે અનુસંધાને વાંકાનેર પાસે રામપરા વીડીમાં જીનપુલમાં વસતા સિંહ પરિવારની વિશેષ કાળજી લેવાઇ રહી છે.
અહીં હાલ 9 નર સિંહ, 7 સિંહણ અને 6 બાળ સિંહ મળી કુલ 17 સિંહ પરિવારનો વસવાટ છે. 6 બાળ સિંહમાંથી 3 સિંહબાળનો હજુ એક મહિના પહેલાં જ જન્મ થયો છે. અને સિંહ બાળ જ્યાં સુધી પુખ્ત વયના થાય ત્યાં સુધી વન વિભાગની દેખરેખ નીચે મોટા થશે. સિંહની ઋતુ મુજબ કાળજી લેવામાં આવે છે. જેમાં શિયાળામાં ઠંડીથી બચાવવા તેમના રૂમમાં હિટર મુકવામાં આવે છે તો દરેક સિંહ માટે એન્કલોઝર બનાવાયા છે, તેમજ પાણીમાં કોર્સોલિન ઉમેરી તેમના એન્કલોઝર સ્વચ્છ કરવામાં આવે છે. તો બુટોક્સ નામની દવા ઉમેરી સિંહને નવડાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.