હળવદના સુંદરગઢ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ મોરબી, માળિયા, જામનગર અને હળવદના 70થી વધારે ગામોને પીવાનું પાણી પુરુ પાડે છે. જેમાં હાલ પાણીનો જથ્થો ખલાસ થવાના આરે હતો ત્યારે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલથી નર્મદાના નવા નીરથી ભરી દેવામાં આવ્યો છે. જેથી હળવદના ગામોને પીવાના પાણીની સમસ્યા સર્જાશે નહીં.
હળવદના સુંદરગઢ પાસે આવેલા બ્રાહ્મણી-2 ડેમનું પાણી જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી પીવા માટે અનામત રાખેલું હોય અને હાલ પીવાના પાણીની સમસ્યા સર્જાય નહીં તે માટે જવાબદાર તંત્ર દ્વારા પાણી ચોરી અટકાવવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે બ્રાહ્મણી-2 ડેમમાં પીવાના પાણીનો જથ્થો ખલાસ થવાના આરે હતો ત્યારે ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી પાણી છોડીને બ્રાહ્મણી-2 ડેમને છલોછલ ભરી દેવાતા મોરબી, માળિયા, જામનગર, રાજકોટ, હળવદના ગામોને પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાય.
બીજી તરફ બ્રાહ્મણી-2 ડેમ પર લાઇટ અને રસ્તાના મેન્ટેનન્સના અભાવે ખેડૂતોને હાલાકી ભોગવવી પડતી હોવાની સમસ્યા સામે આવી છે. સુંદરગઢ પાસે બ્રાહ્મણી-2 ડેમમાં હાલ નવા નીર આવ્યા છે. ત્યારે તે પહેલા રસ્તાઓ રીપેર કરવા જરૂરી છે તેમજ ડેમમાં ઉગી નીકળેલા બિનજરૂરી ઝાડી-ઝાખરા હટાવવા આવશ્યક છે. ત્યારે ખેડૂત કેશાભાઈ ,થોભણભાઈ, વાસુદેવભાઇએ જણાવ્યું હતું કે, કેનાલનો દરવાજો લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થાય છે, જે નિવારવામાં આવે તો પાણી સચવાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.