તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણની બીજી લહેર દિવસે ને દિવસે ગંભીર બનતી જાય છે. જે જિલ્લાવાસીઆે માટે ચિંતાનો વિષય છે. આમ શનિવારે આણંદ શહેર સહિત જિલ્લામાં વધુ નવા 21 કેસો નોધાતાં જિલ્લાનો કુલ આંક 1972 પર પહોંચ્વા પામ્યો છે. આમ શનિવારે આણંદમાં 10, બોરસદમાં 7 ઉપરાંત પેટલાદ અને ખંભાતમાં 2-2 કેસો નોધાયાં છે. જ્યારે હાલ જિલ્લામાં અત્યાર સુધી 1839 દર્દીઆેઅે કોરોનાને પરાસ્ત કરીને ઘરે પરત ફર્યા છે. આણંદ શહેર સહિત તાલુકામાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે.
ત્યારે આણંદના નાના અડધમાં રહેતાં 44 વર્ષના પુરુષ, તેમજ 65 વર્ષના વૃદ્વા, તેમજ ગણેશ ચોકડી પાસે રહેતાં 53 વર્ષના આધેડ, આણંદ શહેરમાં રહેતાં 52 વર્ષના આધેડ, લોટીયાભાગોળ વિસ્તારમાં રહેતાં 49 વર્ષના પુરુષ, તેમજ આઝાદ ચોકમાં રહેતાં 57 વર્ષના આધેડ, વિદ્યાનગરમાં રહેતાં 35 વર્ષની મહિલા, તેમજ બાવીસ ગામ પાસે રહેતાં 27 વર્ષના યુવક, તેમજ વિદ્યાનગરમાં રહેતાં 89 વર્ષની વૃદ્વા, ઉપરાંત બીગબજાર પાસે રહેતાં 58 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને વધુ સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લાના બોરસદ તાલુકામાં 7 કેસ, પેટલાદ અને ખંભાતમાં 2-2 કેસ નોધાયા હતાં.
આણંદ જિલ્લાના 117 દર્દીઓ સારવાર હેઠળ
આણંદ જિલ્લામાં હાલમાં 117 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 34 દર્દીઓ હોમઆઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 70 દર્દીઓ સારવા લઈ રહ્યાં છે. જેમાંથી 7 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.