કોરોનાના કારણે શાળા અને કોલેજોમાં શિક્ષણ બંધ છે. ત્યારે ઓનલાઇન એજ્યુકેશન ચલાવાય છે. એવા અનેક વિદ્યાર્થી છે કે જેમના ઘરમાં ટીવી કે મોબાઇલ નથી એવા બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સાકરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા શ્રમદાન શરૂ કરાયું છે. જેમાં તેઓ વિદ્યાર્થીના ઘરે જઇ અભ્યાસ કરાવવા ઉપરાંત વાયરસ સામે કેવી રીતે સાવચેત રહેવું તેની પણ માહિતી આપે છે. છાત્રોના મહોલ્લામાં જ વિદ્યાર્થીઓને ઘરે બેઠા અભ્યાસ આપવાનું શરૂ કર્યું છે. સાકરીયા પ્રાથમિક શાળાના શિક્ષકો સાકરીયા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં તેમની શેરીઓમાં પહોંચી અભ્યાસ કરાવે છે. રોજિંદા બે કલાક બાળકોના ઘરે ઘરે જઈ બાળકોને અભ્યાસમાં માર્ગદર્શન આપી શિક્ષણકાર્ય કરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.