અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા સૌની મીટ આકાશ તરફ મંડાઈ છે ત્યારે ગામડાઓમાં સૂકાતી મોલાતને કારણે ખેડૂત પરિવારો બેબાકળા બન્યા છે. જિલ્લામાં વરસાદની વહેલી પધરામણી થાય તે માટે માલપુર તાલુકાના જીતપુર માં વાલ્મિકી સમાજની મહિલાઓ મેઘરાજાને મનાવવા માથે મેહુલિયો લઈને ઘેર-ઘેર ફરી મેઘરાજાની પધરામણી કરે તે માટે પ્રાર્થના કરી હતી.
જીતપુરમાં વરસાદ માગવા ફળીએ ફળીએ નીકળેલી વાલ્મિકી સમાજની બહેનો દ્વારા માથે ભગવાનની મૂર્તિ બિરાજમાન કરી મેઘરાજાની પધરામણી માટે કાકલૂદી કરી હતી. ગ્રામજનોએ મેહુલિયા પર પાણીનો અભિષેક કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.