તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડનગરના અમરથોળ નજીક જ્યાં વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ડ મ્યૂઝિયમ બનવા જઈ રહ્યું છે ત્યાં કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા નગરના પેટાળમાં ધરબાયેલા ઈતિહાસને ઉજાગર કરવા ફરી ઉત્ખનન શરૂ કરાયું છે. જેમાં 2000 વર્ષ જૂનો 12 થી 14 મીટરનો કોટ મળ્યો છે. હજુ 50 મીટર જેટલો કોટ ખુલ્લો કરાયો છે. 200 મીટર સુધી કોટ ખુલ્લો કરવાનો બાકી છે. અહીંથી 1000 વર્ષ જૂના અવશેષો પણ મળી આવ્યા છે. અદભુત કહી શકાય તેવી શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા-પિત્તળના સિક્કા, માટીના વાસણો અને મકાનો મળી આવ્યા છે. જેને લઇ સ્થાનિકોમાં કુતૂહલ સર્જાયું છે. અહીંથી મળી આવેલા મકાનો ગાયકવાડ અને સોલંકીકાળનાં છે.
કોઈને કોઈ પ્રજાતિનો વસવાટ હોવાના પુરાવા
ઉત્ખનન દરમિયાન એ ફલિત થાય છે કે, વડનગરમાં કોઈને કોઈ પ્રજાતિનો વસવાટ હોવો જોઈએ. જેના અવશેષો પણ મળી રહ્યા છે. પાકા રસ્તા અને નગરની ફરતે પાંચેક કિમીમાં કોટની દીવાલો પણ મળવાની શક્યતા છે. નાની ગટર પણ મળી છે. સૂત્રોએ જણાવ્યું કે, હજુ પણ વડનગરનો ઈતિહાસ પેટાળમાં ધરબાયેલો છે. જ્યાં સુધી અવશેષો મળશે ત્યાં સુધી ખોદકામ કરવાનું છે. કિંમતી અવશેષો મળવાની આશા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.