ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ રાત્રે ઊંઝા નગરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મોટી સંખ્યમાં નગરજનો અને પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.
વિધાનસભાની ચૂંટણીને લઈને ઊંઝા વિધાનસભામાં કિરીટ પટેલે ફોર્મ ભરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ઊંઝા નગરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઊંઝા શહેરના અને આજુબાજુના લોકો જોડાયા હતા. ઊંઝા વિધાનસભા આવતા તમામ ગામડાઓમાં પ્રચાર કરવામાં આવશે. તેમજ રોડ શો પણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.