તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાટણ હારીજ રોડ ઉપર સાડેસર પાટીયાની હદમાં અને પાટણ નગર પાલિકા ના વોર્ડ 9 માં આવેલ પૌરાણિક ચેથરીયા વીર દાદાના મંદિરને રોડ કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ જાતની નોટિસ બજવણી વગર ક્ષતિગ્રસ્ત કરી સમગ્ર સાડેસરના ખેડૂતોની લાગણીને ઠેસ પહોંચાડી છે. ત્યારે આ સ્થળ પર મંદિર નજીકથી રસ્તો પસાર કરી મંદિર દુરસ્ત કરી આપવા સોમવારે કલેક્ટરને આવેદનપત્ર પત્ર અપાયુ હતું સાડેસર પાટી પ્રમુખ જયેશભાઇ પટેલ અને અન્ય ખેડૂતોએ જેમ ખારી વાવડી કુણઘેર વચ્ચે સાત લીમડા વાળી માતાના મંદિરને બચાવી ડીવાઈડર બનાવી બંને સાઇડ રોડ બનાવ્યો છે એમ આ નડતરરૂપ નથી એવા અમારા આસ્થાના પ્રતીક સમા દાદાના મંદિરની બંને સાઇડ રોડ બનાવવામાં આવે અથવા રોડની સાઇડમા પુનઃ પ્રસ્થાપીત કરી આપવામાં આવે તેવી માંગ કરી છે. નહિ તો ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર વિસ્તાર ના લોકો ને સાથે રાખી અનશન આંદોલન કરવામાં આવશે એની માગણી અને લાગણી સાથે કલેકટર ના આસિસ્ટન્ટ ચીટનીશને આવેદન પત્ર આપ્યું હતું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.