તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીના કારણે પ્રાથમિક શાળાઓમાં રોટેશન મુજબ ફરજ પર હાજર રહેવા આદેશ કરાયો હતો. હવે કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં રોટેશન બંધ કરી તા.9મીને મંગળવારથી શિક્ષકો માટે શાળાઓનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આદેશ કરાયો છે.
મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે, નિયામકના પત્ર અન્વયે સોમવારે શાળાઓને સરક્યુલર મોકલાશે. જિલ્લામાં સરકારી 996 પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો સવારે શાળામાં ફરજ બજાવતા હતા, જે મંગળવારથી બપોરે 11 થી 5નો શાળા સમય થશે. જેમાં શાળાઓમાં 100 ટકા શિક્ષકોની હાજરી રાખવા સુચવાયુ છે. વિદ્યાર્થીઓને કોઇપણ સંજોગોમાં શાળામાં બોલાવવાના નથી તેમ નિયામકના સરક્યુલરમાં જણાવાયું છે. ઉલ્લેખનિય છે કે, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીવર્ગોનું શાળામાં શિક્ષણકાર્ય પુન: શરૂ થયા પછી હવે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો માટે પૂર્ણ સમય અમલમાં મૂકાયો છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.