મહેસાણામાં સમ્યક બુદ્ધવિહાર ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો દ્વારા બુદ્ધ જયંતી - વૈશાખી પૂર્ણિમાની રાજ્ય સરકાર દ્વારા જાહેર રજા ઘોષિત કરવામાં આવે તેવી માંગ મુખ્યમંત્રીને સંબોધીને કરાઇ હતી અને આ લાગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવા અધિક નિવાસી કલેક્ટરને આવેદન આપ્યું હતું.
સંસ્થાના કાર્યકરોએ કહ્યું કે, વૈશાખ સુદ પૂર્ણિમા એટલે કે બુદ્ધનો જન્મ, બુદ્ધત્વ પ્રાપ્તિ અને મહા પરિનિર્વાણ જે એક જ દિવસે ત્રણ ઐતિહાસિક અને પ્રાકૃતિક ઘટનાઓ નિર્માણ થઇ હતી. ભારત સરકારે બૌદ્ધોની લાગણીને માન આપી બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા ઘોષિત કરી છે. અન્ય ધર્મોના આદર્શ કે મહાપુરુષોની જન્મ જયંતીઓને ગુજરાત સરકારે જાહેરરજાઓ ઘોષિત કરેલી છે તેમ બૌદ્ધોની ધાર્મિક લાગણીને માન આાપી ગુજરાત સરકાર પણ બુદ્ધ પૂર્ણિમાની જાહેર રજા ઘોષિત કરવા માંગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.