તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુરૂવારે ઇડરમાંથી 221 શ્રમિકોને બસ દ્વારા મહેસાણા અને ત્યારપછી વતન મોકલાશે. ઇડરમાં બે દિવસ અગાઉ કોંગ્રેસના રાજેન્દ્રસિંહ કુંપાવત અને રામભાઈ સોલંકી દ્વારા ઇડર પ્રાંત કચેરીએ શ્રમિકોને પોતાના વતન પાછા મોકલવા આવેદન આપતાં ગુરુવારે શ્રમિકોને વતન મોકલવાનો નિર્ણય કરાયો હતો. ઇડર બસ સ્ટેશનમાં પાલિકા વિસ્તારમાં અને ગામડામાંથી આવતા શ્રમિકોનું સ્ક્રિનિંગ કરાયુ હતુ. ઇડર પાલિકા અને ગામડામાંથી કુલ 221 શ્રમિકોને રવાના કરાયા હતા. ફૂડપેકેડ તેમજ પાણીની બોટલ આપી હતી. આ પ્રસંગે ઇડર કોંગ્રેસના આગેવાન રાજેન્દ્રસિંહ કુંપાવત, રામભાઈ સોલંકી, ઇડર પ્રાંત કચેરી અધિકારી, ઇડર મામલતદાર એચ. બી કોદરવી ઇડર ટીડીઓ કે.કે. ચૌધરી, ઇડર પાલિકાના મણીભાઈ, દીપકભાઈ, કમલભાઈ ઇડર હેલ્થ ઓફિસર કે.એસ. ચારણ, ડો. ધ્રુવભાઈ ઇડર તલાટી શેલૈષભાઈ, ધવલભાઈ પંડ્યા, જીતુભાઇ, ઇકબાલભાઈ ઇડર બસ સ્ટેશનના મેનજર ડી.એમ.ખરાડી, સતિષભાઈ, નિષાદ નાયક વગેરે ઉપસ્થિત રહી બસો રવાના કરાઇ હતી. ઇડરથી મહેસાણા અને ત્યાંથી ટ્રેનમાં જશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.