આજે મકરસંક્રાંતિનો પર્વ છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી પતંગ ઉડાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોરે પણ પોતાના વતન ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે. શિક્ષણ મંત્રીએ પોતાના વતન સંતરામપુર ખાતેના કાર્યકર્તાઓ અને ફેમિલી સાથે પતંગ ઉડાવી આનંદ ઉલ્લાસ ભેર ઉજવણી કરી હતી.
મકરસંક્રાતિના આ પાવન પર્વ પર રાજ્યના શિક્ષણમંત્રીએ પતંગ ચગાવી દાન પુણ્ય કરી આજના તહેવારને પરિવારજનો, મિત્રો, બાળકો અને પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરી હતી. રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા પ્રથમ સંતરામપુર તાલુકાના નર્સિંગપુર ગામે રાવળ સમાજના પરિવારના બાળકોને જમણવાર પીરસ્યું હતું. બાળકોને પતંગ આપ્યા બાદ હિરાપુર ગામે મહિલાઓને સાડી વિતરણ કરી શાળાના બાળકોને પતંગ આપ્યા હતા. હિરાપૂર ગામે પરિવારજનો, મિત્રો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણના આ પર્વની ઉજવણી કરી હતી. ત્યારબાદ સંતરામપુરના વાલ્મીકિ સમાજના પરિવારો સાથે મુલાકાત કરી ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી ખબર અંતર પૂછ્યા હતી. તેમજ કુંભારવાડા ખાતે પણ મિત્રો સાથે પતંગ ચગાવી આજના દિવસની ઉજવણી કરી હતી.
મંત્રી દરેક તહેવારને પોતાના અનોખા અંદાજમાં ઉજવણી કરતા હોય છે. તેવો દરેક તહેવારમાં અંતરિયાળ વિસ્તારોમાં જઈ સ્થાનિક લોકો સાથે ઉજવણી કરે છે. ત્યારે આજે પણ ઉત્તરાયણ પર્વની તેઓએ લોકો અને બાળકો વચ્ચે જઈ આનંદ ઉલ્લાસ ભેર અનોખી રીતે ઉજવણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.