મહીસાગર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. આકાશમાં વાદળોની સાથે દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ છવાયેલું હતું. ત્યારે મોડી સાંજ બાદ એકાએક આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા. મધ્યરાત્રીએ લુણાવાડા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને લઇ ખેતીના પાકોને નુકસાન પહોંચ્યું છે. એક તરફ રવિ સીઝનના પાકો તૈયાર થઈ ચૂક્યા છે અને તેની કાપણી ચાલુ છે. તો બીજી બાજુ કેટલાક ખેતરોમાં તૈયાર થયેલો પાક ઉભો છે.
તેવામાં આફત બની વરસેલા કમોસમી વરસાદે ખેડૂતની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે. તો કેટલીક જગ્યાએ ઝાડ પડ્યા તો કેટલીક જગ્યાએ વીજ પોલ પડતા મકાનોને નુકશાન થયું છે. માર્ચ મહિનામાં સતત વાતાવરણમાં પલટો અને કમસમી વરસાદથી ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
ત્યારે ફરી એકવાર ગતરોજ વરસેલા કમોસમી વરસાદે ખેતીના પાકોને નુકસાન પોહચાડ્યું છે. જેમાં કડાણા સંતરામપુર સહિતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં દિવસ દરમિયાન છુટોછવાયો વરસાદ વરસ્યો હતો તો મોડી સાંજે વીરપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને કરા સાથે વરસાદ વરસતા રોડ રસ્તા ઉપર જાણે બરફની ચાદર ફેલાઈ હોય તે રીતના દ્રશ્યો વીરપુર તાલુકાના કોયડમ, ડેભારી, ચીખલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવ્યા હતા ત્યારે મધ્યરાત્રીએ ફરી એકવાર લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તાર કાંઠા, સોનેલા, ચરેલ ચાવડીયા, વેલણવાડા સહિતના ગામો અને આસપાસના વિસ્તારમાં ભારે વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ અને કરા પડ્યા હતા. જેથી ખેડૂતના તૈયાર થયેલા પાકને નુકસાન સાથે પશુઓ માટેના ઘાસચારાને પણ નુકસાન પોહચતા યોગ્ય સર્વે કરી નુકસાનીનું વળતર મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.