સરકાર દ્વારા દિવ્યાંગથી દિવ્યાંગ અને દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિઓ સમાજમાં સન્માન પૂર્વક જીવી શકે તે હેતુથી દિવ્યાંગ લગ્ન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. દિવ્યાંગ યોજના અંતર્ગત, જ્યારે દિવ્યાંગ વ્યક્તિથી દિવ્યાંગ વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરે છે, ત્યારે દંપતીના બંને શખ્સોને રૂ. 50,000 - રૂ. 50,000 લેખે કુલ રૂ. 100,000 / - સહાય માટે જયારે દિવ્યાંગ વ્યક્તિના સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવાના કિસ્સામાં રૂ. 50,000 આપવામાં આવે છે.
આવા જ એક મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વખતપુર ગામના દિવ્યાંગ પગી કાંતિભાઈના પિતા પગી બાબુભાઇ સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, તેઓનો પરિવારમાં તેઓ સાત સભ્ય રહે છે અને તેઓ છુટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે વાત લગ્નની આવે ત્યારે તેઓને ઘર ચલાવું પણ મુશ્કેલ બનતું, એવામાં તેમના દીકરાના લગ્ન કરવાનું તેઓ માટે વિચારવું પણ મુશ્કેલ હતું. એવામાં સરકાર દ્વારા દિવ્યાંગ લગ્ન સહાય મળતા તેઓનું ભારણ ઓછું થયું અને આ સહાય થકી તેમના દીકરા પગી કાંતિભાઈ કે જેઓ માનસિક બિમારી ધરાવે છે. તેઓ સમાજમાં સન્માન પૂર્વક લગ્ન કરી પોતાનું જીવન જીવી રહ્યા છે. આમ, સરકારની આ યોજના થકી તેઓની જિંદગીમાં ખુશહાલી આવી જેથી તેઓ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માની રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.