રાપર તાલુકાનાં મૂળ સાંય ગામના રહેવાસી અને હાલે નવી મુંબઈના નેરુલ ખાતે રહેતા 65 વર્ષીય બિલ્ડરની ગોળી ધરબી હત્યા કરી દેવાની ઘટનાથી સમગ્ર વાગડ પંથન્ક માં ખળભળાટ મચ્યો હતો. તો પાટીદાર ઉદ્યોગપતીની આવી રીતે મુંબઈમાં ઘાતકી હત્યા થતાં સમગ્ર દુધઈ થી પીપરાળા લેઉવા પાટીદાર સમાજમાં ચકચાર મચી હતી. આ પ્રકરણના તાર ગાંધીધામ સુધી પહોંચી તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, રાપરના સાંય ગામના વતની અને મુંબઇ વસતા અને ઇમ્પેરિયા ગૃપના 65 વર્ષીય માલિક સવજી ગોકર મંજેરીની આજે સાંજે સાડા પાંચ થી છ વાગ્યાના અરસામાં બિલ્ડર સવજીભાઇ નેરુલ સેક્ટર 6 અપના બજારની સામે રોડ પર ગાડી ચલાવી રહ્યો હતો.
આ દરમિયાન એક મોટરબાઈક પર આવેલા બે લોકોએ કારને અટકાવી અને ગોળીબાર કર્યો. જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા સઈજીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં આ વિસ્તારના ડીસીપી પાનસરે અને પીઆઈ સાથે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ઘટનાસ્થળે ધસી જઇ જગ્યાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
બે લોકોએ કારને અટકાવી અને ગોળીબાર કર્યો
હાલ આ હત્યાના ઘેરા પ્રત્યાઘાત રાપર પંથકના પટેલ સમાજમાં પડ્યા છે. હાલ આ ઘટનામાં ઈમ્પેરિયા ગ્રુપના સવજી મંજેરી સહિત પાંચ ભાગીદારો છે. આ હત્યા જમીનની લેવડ-દેવડ, મિલકત કે અન્ય છેતરપિંડીભરી નાણાકીય લેવડદેવડને કારણે થઈ હોવાનું અનુમાન પોલીસ કરી રહી છે.
મૃતક વૃદ્ધ ઉદ્યોગપતિનો ભૂતકાળ સતત વિવાદમાં
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક સવજીભાઈ મંજેરી ઇમ્પેરિયા ગ્રુપનાં માલિક હતાં તેઓ ઉપર થોડાક મહિના અગાઉ મુંબઈ મધ્યે છેડતીનોકેસ નોંધાયો હતો, જે બાબતે રાપરનાં નરસી સરૈયા (પટેલ ) ઉપર મહિના પછી રાપરના જકાત નાકા નજીક હુમલો થયો હતો જેમા પણ તેમણે હુમલો કરાવ્યો હોવાનો આરોપ મુકાયો હતો, તો એક માસ પહેલાં જ તેમણે વરસામેડી સીમમાં આવેલી જમીન પોતાના ખોટા દસ્તાવેજ બનાવી વેચી મરાઇ હોવાની ફરિયાદ પણ તેમણે નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.