રજૂઆત:પાન્ધ્રોના ખેતરમાં મંજૂરી વિના પવનચક્કીના વાયર પસાર કરાયા

દયાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરના માલિકે કલેક્ટર સમક્ષ આક્ષેપો સાથે કરી રજૂઆત

લખપત તાલુકાના પાન્ધ્રોની સીમમાં ખેતરમાંથી કોઇ મંજૂરી વિના ખાનગી કંપની દ્વારા વીજ પોલ અને વાયરો નાખવામાં આવ્યા છે તેવી કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા ખેતર માલિકે યોગ્ય પગલા ભરવાની માગ કરી હતી. સર્વે નં. 148/3/3 વાળી જમીનમાં વીજ પોલ ઉભા કરવા અને વાયર પસાર કરવા માટે કંપની કે તેમના અધિકારી દ્વારા કોઇ પરવાનગી લીધા વિના કામ કરવાની કોશિષ કરવામાં આવે છે.

હાલે ખેતરમાં એરંડાનો પાક ઉભો છે તેમજ પાલતુ પ્રાણીઓ પણ રહે છે તેવી રજૂઆત નવાનગરના રહેવાસી સીતાબેન સગાળાજી મહારાજ અને ગોદાવરીબેન શંકરલાલ મહારાજે કરી હતી. જો કે, હાલમાં આ કામગીરી અટકાવી દેવાઇ છે તેમ પણ અરજદારોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...