કચ્છના નાના રણમાં આરક્ષિત જાહેર થયેલા ઘુડખર અભયારણ્યમાં છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓએ દબાણ કર્યું છે તેવા આક્ષેપ સાથે રાપર તાલુકાના સાત ગામના સરપંચે કલેક્ટર સમક્ષ કરેલી રજૂઆતમાં તાત્કાલિક દબાણો દૂર કરવાની માગ કરી હતી.
આ અંગે કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, અભયારણ્યમાં માથભારે લોકોએ દબાણ કરી મીઠાનો કાળો કારોબાર કરી રહ્યા છે. આ વિસ્તાર આરક્ષિત હોતાં ગેરકાયદે બનાવાયેલા મીઠાના અગરો દૂર કરવામાં આવે. રાપર તાલુકાના શિકારપુર, ચિતોડ, કાનમેર, ગાગોદર, માણાબા, થોરિયારી, પેથાપરના સરપંચો સાથે આગરીયાઓ અને આગેવાનો તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા યોગ્ય પગલા ભરવાની માગ કરાઇ હતી.
કાનમેરના સરપંચ રાધાબેન વતી રામજીભાઈ, ચિતોડના જેવીબેન ખોડ વતી સામતભાઇ ખોડ, શિકારપુરના વેજીબેન મયાત્રા વતી ડેસરભાઈ મયાત્રા, પેથાપરના સુનિલભાઈ કોળી, કીડીયાનગરના માજી સરપંચ રમેશ યાદવ, ગાગોદરના ઉપસરપંચ દેવા રાયમલ, દિલીપ યાદવ, વિરમ રબારી, નરેશ મહેશ્વરી, હિતેશ મહેશ્વરી, રમજાન સમા, ઇકબાલ જત વગેરે હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.