કચ્છની ધરતીના પેટાળમાં જાણે સતત સળવળાટ થઈ રહ્યો હોય તેમ ધરતીકંપના આંચકા અવિરત ચાલુ રહેવા પામ્યા છે અને હવે વાગડ અને અંજાર ફોલ્ટલાઈન સિવાય નવા સ્થળે કેન્દ્રબિંદુ ધરાવતા આફ્ટરશોક રિક્ટરસ્કેલ પર નોંધાઇ રહ્યા છે. આજે બુધવારે સવારે સાડા દસ વાગ્યે ભુજની ઉત્તર દિશાએ આવેલા દુર્ગમ ખાવડાથી 48 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ ધરાવતો આફ્ટરશોક અનુભવાયો હતો. 3.2ની તીવ્રતાના આંચકાથી સ્થાનિક લોકો પણ ઘડીભર સચેત બની ગયા હતા.
કચ્છ અને ભૂકંપને સદીઓનું જોડાણ છે અને સદીમાં એકથી બે મોટા ભૂકંપ આવતા રહ્યા છે. ખાસ કરીને 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોક અવિરત રહેવા પામ્યા છે. જો કે આ પહેલા જાહેર થયેલા નિવેદન મુજબ જેટલા આંચકા આવશે તેટલી જમીન અંદર રહેલી ઉર્જા છૂટી પડતી જશે. માટે ઝોન 5માં આવતા વિસ્તાર માટે આફ્ટરશોક ભયજનક નથી પરંતુ નવા નવા સ્થળે જો આંચકા આવતા રહે તો આ જરૂર સંશોધનનો વિષય ગણી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.