ગાંધીધામના ચાવલા ચોક શિવ મંદિર ઝૂંપડા વિસ્તારમાં એક જણાએ યુવતીની બદ ઇરાદે છેડતી કર્યા બાદ તે યુવતીને બચાવવા વચ્ચે આવેલા વકીલને ચાર જણા માર મારી ભાગી ગયા હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.
આ ઘટનામાં ભોગ બનનાર યુવતીએ નોંધાવેલી ફરિયાદને ટાંકી એ-ડિવિઝન પોલીસે આપેલી વિગતો મુજબ, ગત રાત્રે તે ઘરનો કચરો નાખવા ઘરની બહાર નિકળી હતી તે દરમિયાન એક અજાણ્યા ઇસમે તેને પાછળથી પકડી લેતાં તે ગભરાઇને પોતાને છોડાવવાની કોશિષ કરી હતી જેમાં તેનો ડ્રેસ ફાટી ગયો હતો. તે પોતાની જાતને બચાવી રહી હતી તે દરમિયાન તેમના પરિવારના ઓળખિતા વકીલ શશીભાઇ ચૌધરી કામસ ર ત્યાં આવી પહોંચતાં એ યુવક પ્લોટ નંબર છની ઓરડી તરફ ગયો હતો.
ત્યારબાદ એ ઓરડીમાંથી ધર્મેન્દ્રસિંહ સાથે ત્રણ અજાણ્યા ઇસમો બહાર આવ્યા હતા અને વકીલ શશીભાઇને માર મારવા લાગ્યા હતા. બૂમાબૂમ થતાં યુવતીનો પરિવાર અને અડોશ પડોશ આવી જતાં આ ચારે જણા ભાગી ગયા હતા. તેમણે આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ નરેન્દ્રપુરી પી. ગોસ્વામીએ વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.