આદિપુરના લીલાશાહ ફાટક પાસે કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ગાંધીધામ-આદિપુરનાં આવન-જાવન માટે ઉપયોગમાં આવી રહેલા લીલાશાહ ફાટકની નજીક જ એક બેલેનો કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડનાં જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું ન હતું. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન પહોંચી હતી, પરંતુ કાર બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.