નડિયાદમાં વૈશાલી ગરનાળાને ઊંડું અને પહોળુ કરવાની એક વર્ષ અગાઉ જાહેરાત કરાઈ હતી. જે બાદ ખાતમુર્હુત પણ કરવામાં આવ્યું હતું. જે માટેની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેને લઈ બે મહિના માટે અહીયા વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે.
ફાટક મુકત અભિયાન અંતર્ગત નડિયાદમાં વૈશાલી ગરનાળાને પહોળુ તથા ઉંડુ કરવાની જાહેરાત વર્ષ અગાઉ થઈ હતી. જે બાદ ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ માટેની કામગીરીનો ગતરોજથી પ્રારંભ થયો છે. ગરનાળાને પહોળુ તથા ઉંડુ કરવાની કામગીરી માટે ગુજરાત શહેરી વિકાસ દ્વારા એજન્સી બેકબોન કન્સ્ટ્રકશન પ્રા.લી.ને વર્ક ઓર્ડર અપાયો છે.
વૈશાલી સિનેમાથી વૈશાલી ગરનાળા થઈ રૂરલ પોલીસ સ્ટેશન સુધીના રસ્તાનો વાહન વ્યવહાર અન્ડરબ્રીજનુ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરવા અધિક કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.જે મુજબ જોઈએ તો આજથી એટલે કે 27મે થી 27 જુલાઈ એમ 2 મહિના સુધી અહીયા વાહન વ્યવહારની અવર-જવર પર પ્રતિબંધ મુકાયો છે. આ માટે વાહન ચાલકો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકશે તેવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
નડિયાદ-1, ડો,બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી નાની માર્કેટ આગળ થઈ વૈશાલી રેલવે ગરનાળા થઈ સેન્ટમેરી સ્કૂલ વૈશાલી સીનેમા નડીયાદ–2 તરફ જતો તમામ વાહન વ્યવહાર ડો.બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી સંતરામ રોડ, પારસ સર્કલ, કીડની સર્કલ, પેટલાદ રોડ રેલવે ઓવર બ્રિજ થઈ આગળ તરફ જઈ શકશે. આ ઉપરાંત ડો.બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુથી સ્ટેશન રોડ, જુના બસ સ્ટેશન, શ્રેયસ ગરનાળા થઈ આગળ તરફ જઈ શકશે. નડીયાદ 2, સેન્ટમેરી સ્કુલ-વૈશાલી સીનેમાથી વૈશાલી રેલ્વે ગરનાળા થઈ નાની શાક માર્કેટ થઈ ડો.બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ થઈ નડીયાદ શહેર તરફથી આવતો તમામ વાહન વ્યવહાર, વૈશાલી સિનેમા–સેન્ટમેરી સ્કુલથી આઈ.જી.રોડ થઈ પેટલાદ રોડ રેલ્વે ઓવર બ્રિજ થઈ નડીયાદશહેર તરફ આગળ જઈ શકશે. ઉપરાંત વૈશાલી સિનેમા, સેન્ટમેરી સ્કૂલથી માઈ મંદિર રોડ તથા શારદા મંદિર ચોકડી, વલ્લભનગર ચોકડી, પીજ રોડ શ્રેયસ ગરનાળા થઈ આગળ તરફ જઈ શકશે. તેમ જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.