તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢના એક યુવાને એક શખ્સ પાસે રૂ. 30 હજાર વ્યાજે લીધા હતા. આ રૂપિયા કઢાવવા વ્યાજખોરે પોતાના બીજા 4 સાગ્રીતો સાથે મળી તેનું અપહરણ કરી માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢના દિવાન ચોક પાસે આવેલા ગનુભાઇના દવાખાના પાસે રહેતા આનંદ છગનભાઇ સરવૈયા (ઉ. 30) નામના યુવાને પંકજ મહિડા પાસેથી રૂ. 30 હજાર વ્યાજે લીધા હતા. આ રૂપિયા કઢાવવા પંકજે પોતાના કૃણાલ ઠેસિયા નામના સાગ્રીત સાથે મળી આનંદનું અપહરણ કરી તેને ખલીલપુર રોડ પર લઇ ગયા હતા. જ્યાં સામતભાઈ રાડા, સામતભાઈ રબારી, સંદિપ ઠેસિયા સાથે મળી તેને માર માર્યો હતો. બનાવ અંગે આનંદે પાંચેય શખ્સો સામે બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.