જૂનાગઢમાં લમ્પી વાઇરસ સામે ગૌમાતાના રક્ષણ માટે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ મેદાનમાં ઉતરી છે. આ ટીમ દ્વારા ગૌમાતાને વેક્સિન આપવાની કામગીરી છેલ્લા 8 દિવસથી હાથ ધરાઇ રહી છે. હજુ પણ આ કામગીરી જારી રખાઇ છે અને તેના માટે નંબર પણ જારી કરાયા છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી હિરેનભાઇ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદની ટીમ દ્વારા છેલ્લા 8 દિવસથી ગાયોને વેક્સિન આપવાની કામગીરી કરાઇ રહી છે.
આઠ દિવસમાં 1,450 ગૌધનને વેક્સિન અપાયું છે. આમ લમ્પિ રોગથી ગૌમાતાને રક્ષિત કરવા વેક્સિનની કામગીરી નિસ્વાર્થ ભાવે કરાઇ રહી છે. હાલ ગાંધીગ્રામ વિસ્તારમાં ઘરે ઘરે જઇ ગાયોને વેક્સિન અપાઇ રહી છે. જો કોઇપણ ગાયમાતાને વેક્સિન અપાવવાની હોય તો ડોકટર દિપ્તેશસિંહ ચુડાસમાનો 9157177980 નંબર પર અથવા હિરેનભાઇ રૂપારેલીયાનો 9879014841 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છેે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.