દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના શાસનના 8 વર્ષ પૂર્ણ થતા 5 થી 15 જૂન સુધી શહેરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. આ અંગે સર્કિટ હાઉસ ખાતે એક બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા, શહેર પ્રમુખ પુનિતભાઇ શર્મા,રાજુલાના પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી, મેયર ગીતાબેન પરમાર, સંજયભાઇ પંડયા, સુરેશભાઇ પાનસુરીયા, જીતુભાઇ ઠકરાર, ઓમ રાવલ, ભૂમિત રાવલ, ઉપાસના પુરોહિત વગેરેની ઉપસ્થિતી રહી હતી.
ખાસ કરીને 8 વર્ષના શાસનમાં દેશના દરેક નાગરિકોને નાની મોટી યોજનાનો લાભ મળ્યો હોવાનું જણાવી દેશ અનેક ક્ષેત્રે આગળ વધી રહ્યો હોવાનું રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.