તમામ પ્રકારના ધર્મસ્થળો કાળા માથાના માનવીએ પોતપોતાની માન્યતા અને શ્રદ્ધા પ્રમાણે બનાવ્યા હોય છે. પણ જંગલના રાજાને મન તો કોઇપણ ધર્મસ્થળ પોતાનું જ હોય. એના પગલાં જ્યાં પડે ત્યાં એનું સામ્રાજ્ય. પછી ભલેને મંદિર હોય કે દરગાહ. તસવીરમાં દેખાતી બાલમશાહ પીરની દરગાહે બબ્બે ડાલામથ્થાની હાજરી જાણેકે, રખોપાં માટેની હોય એવું લાગ્યા વિના રહેતું નથી. જોકે, આ દરગાહના લોકેશન વિશે વનવિભાગે કોઇ ફોડ પાડ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.