આયોજન:વનવિભાગ 51.75 લાખ લોકોને સિંહ બચાવવાનો સંદેશ મોકલશે

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી જોડાશે
  • કોરોના મહામારીને લીધે સતત બીજા વર્ષે પણ વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવશે

સિંહના સંરક્ષણ અને સંવર્ધનના કાર્યમાં લોકોને જોડવા માટે વનવિભાગ આવતીકાલ તા. 10 ઓગષ્ટ 2021 ના વિશ્વ સિંહ દિવસે 50 લાખ લોકોને એસએમએસ અને 1.75 લાખ લોકોને ઇ-મેઇલથી સંદેશો પાઠવશે. આમ કુલ 51.75 લાખ લોકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે.કોરોનાને લીધે વિશ્વ સિંહ દિવસની ઉજવણી સતત બીજા વર્ષે પણ વર્ચ્યુઅલી થશે.

જેમાં આ વર્ષે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વનમંત્રી ગણપતસિંહ વસાવા ગાંધીનગરથી ઓનલાઇન જોડાશે. કાર્યક્રમની શરૂઆત સવારે 10:30 વાગ્યે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને શરૂ થશે. આ વર્ષે પણ વિવિધ કક્ષાની ફોટોગ્રાફી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન વર્ચ્યુઅલ માધ્યમથી જ કરાયું હતું.

જેનું પરિણામ પણ મુખ્યમંત્રીજ જાહેર કરશે. જૂનાગઢ, ગિર-સોમનાથ, અમેરલી અને ભાવનગર જિલ્લાની 7 શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, એનજીઓ, પ્રકૃતિપ્રેમીઓ, સિંહ પ્રેમીઓ, સ્થાનિકો, સહિતના જોડાશે. દર વર્ષે 10 ઓગષ્ટે આ દિવસની ઉજવણી સિંહોના સંરક્ષણ અને સંવર્ધનમાં લોક સહયોગ મળી રહે એ માટે કરાય છે.