તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢમાં અમૃત યોજના અંતર્ગત ચાલતા પાણીના કામોની કમિશ્નર તુષાર સુમેરાએ મુલાકાત લીધી હતી. તેણે આ કામગીરી શક્ય એટલી ઝડપથી પુર્ણ કરવા સૂચના આપી છે. આ અંગે કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, શહેરમાં કુલ 70 કરોડના ખર્ચે અમૃત યોજના અંતર્ગત પીવાના પાણીના કામો કરવાના છે જેમાં 1,00,000 લોકોને શુદ્ધ પાણી મળે તેવો લક્ષ્યાંક છે.
હાલ ઉંચી અને નીચી ટાંકી, પમ્પિંગ સ્ટેશન, પાઇપ લાઇન બિછાવવી, કનેકશન આપવા સહિતની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ધીમી કામગીરી કરનાર એજન્સીને ઝડપથી કામગીરી પુર્ણ કરવા સૂચના પણ અપાઇ હતી. વર્ષના અંત સુધીમાં 1,00,000 લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તેવા પ્રયાસો છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.