ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા 24 જાન્યુઆરીએ લેવાનાર સેમેસ્ટર 1ની પરીક્ષા કોરોનાના કારણે હાલ મોકૂફ રખાઇ છે. આ અંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 24 જાન્યુઆરીએ સેમેસ્ટર 1ની પરીક્ષા લેવાની હતી. જોકે, કોરોનાના કારણે વિદ્યાર્થીઓ સંક્રમિત ન બને તે માટેની તકેદારીને લઇ બુધવારે એકઝામ કોર કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય કરાયો હતો કે 24 જાન્યુઆરીએ લેવાનાર પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવી. પરીક્ષાની નવી તારીખ હવે જાહેર કરવામાં આવશેે.
દરમિયાન પરીક્ષામાં અનેક ફેરફાર પણ કરવામાં આવ્યા છે. ખાસ કરીને પરીક્ષાનો સમય અઢી કલાકથી ઘટાડીને દોઢ કલાકનો કરાયો છે. 70ના બદલે 42 માર્કસની પરીક્ષા લેવાશે. દરમિયાન પરીક્ષાના કેન્દ્રો અગાઉ 69 હતા તેમાં 11નો વધારો કરી 80 કરાયા છે. 30,000 વિદ્યાર્થી હોય અગાઉ પંદર,પંદર હજારના 2 તબક્કામાં પરીક્ષા લેવાતી હતી. હવે 3 તબક્કામાં દસ, દસ હજાર મળી કુલ 3 સેશનમાં પરીક્ષા યોજાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.