જૂનાગઢ વન વિભાગ દ્વારા 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન 2022 યોજાશે. શહેરના બિલખા રોડ સ્થિત પ્લાસવા ઘાસ ડેપો ખાતે આ માટે હોસ્પિટલ શરૂ કરાઇ છે. અહિં પતંગોત્સવ દરમિયાન ઘાયલ પક્ષીની સારવાર કરવામાં આવશે.ખાસ કરીને ઘવાયેલા પક્ષીનું સારવારના અભાવે મોત ન થાય તે માટે શરૂ કરાયેલી આ હોસ્પિટલને મેયર ધીરૂભાઇ ગોહેલના હસ્તે ખુલી મુકાઇ છે.
આ તકે ડીસીએફ સુનીલ બેરવાલ, ડીસીએફ ગિર પશ્ચિમ ધીરજ મિત્તલ, એસીએફ જયન પટેલ, આરએફઓ અરવિંદ ભાલીયા તેમજ ફોરેસ્ટર જે.એચ. ચોટલીયા તેમજ સ્ટાફની ઉપસ્થિતી રહી હતી. આ સેવાકીય પ્રવૃત્તિમાં વસુંઘરા નેચર ક્લબ, જીવદયા ટ્રસ્ટ વગેરેની ટીમ પણ સેવા આપશે. ત્યારે આપની આજુબાજુમાં કોઇ ઘાયલ પક્ષી નજરે પડે તો 8320002000 નંબર પર જાણ કરવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.