જૂનાગઢ શહેરમાં કોરોનાને લઇ રાત્રિ કફર્યુ લાગુ કરાયો છે ત્યારે તેના પાલન માટે પોલીસ એકશન મૂડમાં આવી છે. આ અંગે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસ સતત વધી રહ્યા હોય શહેરમાં રાત્રિના 10થી લઇને સવારના 6 સુધી કફર્યુ જાહેર કરાયો છે. ત્યારે કફર્યુ ભંગ કરનાર સામે પગલાં લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચના આપી છે.
ત્યારે આ સૂચનાના પગલે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેર, બી ડિવીઝન પીઆઇ એન. આઇ. રાઠોડ,તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.એમ. ગોહિલ, સી ડિવીઝનના પીએસઆઇ જે. જે. ગઢવી, જે. એમ. વાજા, ભવનાથ પીએસઆઇ એમ.સી.ચુડાસમા દ્વારા કફર્યુ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવા જુદી જુદી ટીમો બનાવી રાત્રિના 10 વાગ્યા પછી સામુહિક રીતે પેટ્રોલીંગ હાથ ધરાશે. આમાં 8 મોબાઇલ વાન અને મોટર સાઇકલ પર પેટ્રોલીંગ કરી રાત્રિ કફર્યુ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન 11 જેટલા રખડતા ઇસમો અને દુકાન ખુલ્લી રાખી વેપાર કરનાર વેપારી સામે કાર્યવાહી કરાઇ છે. ત્યારે પોલીસ કાર્યવાહીથી બચવા 22 જાન્યુઆરી સુધી રાત્રિ કફર્યુનો ભંગ ન કરવા પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.