વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશભાઈ જેઠવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલતદાર ને રૂબરૂ મળી પોતાનું રાશન કાર્ડ જમા કરાવી દીધું હતું અને રાશન પણ બંધ કરવા કહ્યું હતું.આ રાશન જરૂરિયાત મંદ લોકો ને મળે એમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લીધો હોવાનું દિવ્યેશભાઈએ જણાવ્યું હતું.અને જે લોકોને આ રાશનની જરૂર નથી અને આર્થિક સ્થિતિ સારી છે તો તેમણે પણ આગળ આવી આ નિર્ણય લેવાની અપીલ કરી હતી. આ નિર્ણયને લોકોએ પણ આવકાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.