તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોરઠમાં બુધવારે વધુ 27ને કોરોના પોઝિટીવ આવ્યો છે, જ્યારે 16 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બુધવારે આવેલા કેસ પર નજર કરતા જૂનાગઢ જિલ્લામાં વધુ 17ને કોરોના પોઝિટીવ આવ્યો છે. આ 17 માં જૂનાગઢ સિટીના 7, માણાવદર તાલુકામાં 3, કેશોદ,વંથલી અને વિસાવદર તાલુકામાં 2-2 અને જૂનાગઢ તાલુકામાં 1 કેસનો સમાવેશ થાય છે.
જ્યારે 11 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન જૂનાગઢ જિલ્લામાં હજુ 45 કન્ટેઇનમેન્ટ ઝોનમાં 313 ઘરના 1,144 લોકોનો સમાવેશ થાય છે.જ્યારે ગિર સોમનાથ જિલ્લામાં 10 ને કોરોના પોઝિટીવ આવ્યો છે અને 5 દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. દરમિયાન હજુ પણ માસ્ક પહેરી તમે તમારૂં તેમજ તમારા પરિવારનું કોરોના સંક્રમણથી રક્ષણ કરી શકો છો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.