જૂનાગઢ શહેરમાં ટેબલ મુકવાની કોઈ વાતને લઈ બે પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં મારામારી થતા મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો હતો. પોલીસે આ બંને પક્ષની ફરિયાદનાં આધારે વધુ આગળની તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ જૂનાગઢમાં ભરડાવાવ પાસે રહેતા પૂજાબેન દિનેશભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ પુજાબેનને ટેબલ મુકવાની કોઈ વાતને લઈ રાજુ લહુરીશા ગુપ્તા સાથે બોલાચાલી થઈ હતી અને રાજુએ પુજાબેન તેમજ દિનેશભાઈને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી આ શખ્સ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
જ્યારે રાજુ ગુપ્તાએ નોંધાવેલી ફરિયાદ મુજબ રાજુએ પુજાબેન અને દિનેશભાઈને ટેબલ જ્યા લીધેલ હોય ત્યા મુકવાનું કહેતા બોલાચાલી થઈ હતી. જેથી આ બંનેએ રાજુભાઈને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે બંને પક્ષની ફરિયાદનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.