તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢમાં કોરોનાની વેક્સિન લીધા બાદ આડઅસર થયાનો પ્રથમ બનાવ સામે આવ્યો છે. એક શિક્ષકને કોરોનાની રસી લીધા બાદ કોરોના થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે મળતી વિગત મુજબ હાલ કોરોના મહામારીની સામે કોવિશીલ્ડ વેક્સિન અપાઇ રહી છે. આ રસી સુરક્ષિત અને આડઅસર રહિત હોવાનું જણાવાઇ રહ્યું છે. દરમિયાન જૂનાગઢની પ્રાથમિક શાળાના એક શિક્ષકે કોરોનાની રસી લીધી હતી. જોકે, કોરોનાની રસી લીધા બાદ પણ શિક્ષક કોરોના પોઝિટીવ થયા છે. દરમિયાન આ અંગે આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિન સુરક્ષિત અને સલામત છે.
પરંતુ તેની અસર દોઢેક માસ બાદ થાય છે. કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ લેવો ફરજીયાત છે. આ બીજો ડોઝ લીધાના 7 થી 15 દિવસ બાદ શરીરમાં એન્ટિ બોડી તૈયાર થાય છે. ત્યારે જ્યાં સુધી શરીરમાં એન્ટિ બોડી તૈયાર ન થાય તે સમય ગાળામાં કોરોના થઇ શકે છે. જોકે, બીજો ડોઝ લીધના 15 દિવસ બાદ એન્ટિ બોડી તૈયાર થયા બાદ તમે કોરોના મહામારીથી સુરક્ષિત થઇ શકો છો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.