કૃષિ વિકાસ સંદર્ભે ચર્ચા:કૃષિ યુનિ.માં નીતિ આયોગના સભ્યનું વ્યાખ્યાન યોજાયું

જૂનાગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં કૃષિ વિકાસ સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં તા. 17 માર્ચે સવારે ઓડિટોરિયમ ખાતે નીતિ આયોગના સભ્ય રમેશ ચંદનું ટકાઉ ખેતિ વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી કરી કૃષિ વિકાસના સંદર્ભમાં સાર્થક ચર્ચાઓ કરવામાં આવી હતી.

નીતિ આયોગના સભ્ય પ્રોફેસર રમેશ ચંદ અને નીતિ આયોગના કૃષિ ક્ષેત્રના સિનિયર સલાહકાર નીલમબેન પટેલે કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિદ્યા શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. અને કૃષિ ક્ષેત્રે નીતિ આયોગ કઈ રીતે કામગીરી કરે અને ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રને વધારે સમૃદ્ધ બનાવવા અને ગુણવત્તા યુક્ત બનાવવાના પર વિચારો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...