ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાના છઠ્ઠા દિવસે 7 કોપી કેસ થયા હતા. જયારે કુલ 28, 431 વિદ્યાર્થીઓમાંથી 689 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. આ અંગે ભક્તકવિ નરસિંહ મેહતાના કુલપતિ પ્રો,ડો,ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વિવિધ 80 કેન્દ્રો ઉપર સેમ-3ની રેગ્યુલર તથા એક્સટર્નલ ઓફલાઈન પરીક્ષાના છઠ્ઠા દિવસે બીએ, બીએ (હોમ સાયન્સ), બીકોમ, બીએસસી, બીએસસી (હોમ સાયન્સ), બીબીએ, બીઆરએસની પરીક્ષામાં કુલ 28,431 વિદ્યાર્થીઓમાંથી 689 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.
છઠ્ઠા દિવસનાં અંતે મેંદરડા ખાતે 3, વેરાવળ ખાતે 3 તથા સુપાસી ખાતે 1 મળીને કુલ 7 કોપીકેસ નોંધાયા હતાં. જેમાં બીએમાં સમાજશાસ્ત્ર, સંસ્કૃત અને બીકોમમાં બિઝનેશ કમ્યુનિકેશન વિષયમાં કોપીકેસ નોંધાયા હતાં. વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.