તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ દ્વારા અકસ્માત મૃત્યુ વિમા સહાય યોજના હેઠળ વડાલનાં ખેડૂત ખાતેદારનાં પરિવારે વિમાનાં 1.50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડનાં ચેરમેન પદે કિરીટ પટેલની નિમણુંક થયા બાદ અકસ્માત મૃત્યુ વિમા સહાયમાં 50 હજાર રૂપિયાનો વધારો કર્યો હતો. પહેલા આ રકમ માત્ર 1 લાખ રૂપિયા હતી. હવે તે 1.50 લાખ કરવામાં આવી છે. ત્યારે વડાલ ગામનાં ખાતેદાર ખેડૂત ચેતનભાઇ દોમડિયાનું નિધન થતા તેમના પરિવારનાં ગીતાબેન દોમડિયાને અમસ્માત મૃત્યુ વિમા સહાય હેઠળ રૂપિયા 1.50 લાખ રૂપિયાનો ચેક ચેરમેન કિરીટભાઇ પટેલનાં હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.