તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોક ડાઉન પછી સોમનાથ સુધીની લોકલ ટ્રેનો આજ સુધી શરૂ કરવામાં આવી નથી. જેથી બંધ કરેલી તમામ ટ્રેનો તાત્કાલિક રૂપે શરું કરવા માટે સોરઠ રેલવે પેસેન્જર એસોનાં પ્રમુખ મહેન્દ્ર ગાંધી, મગનભાઈ સહિતનાં આગેવાનોએ રેલ્વેના ડી.આર.એમને પત્ર લખી જણાવ્યું છે. કે સોમનાથથી ઉપડતી ઇન્ટરસિટી ટ્રેન અને લોકલ સોમનાથ થી રાજકોટ પોરબંદર જતી ટ્રેનો તાત્કાલિક શરું કરવા માંગણી કરી છે.
ટ્રેન બંધ હોવાથી હજારો મુસાફરો દુઃખી થાય છે. તો તાત્કાલિક લોકલ અને લાંબા રૂટની બધી જ ટ્રેનો શરું કરવાની માંગણી કરી છે.કોરોના બાદ કેટલીક ટ્રેનો શરૂ થઇ ગઇ છે. પરંતુ લોકલ ટ્રેન હજુ બંધ છે. જેના કારણે અપ-ડાઉન કરતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ટ્રેન વ્હેલી તકે શરૂ કરવાની માંગ ઉઠી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.