તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના માંડવા ગામે એક ખેડૂતે પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરી બમણો પાક ઉતાર્યો છે, હાલ દરરોજ 100 મણ તરબૂચ ની ઉપજ થાય છે.કુતિયાણા તાલુકાના માંડવા ગામે રહેતા કિશન હરદાસભાઈ જોટવા નામના ખેડૂતે પોતાના ખેતરમાં પ્રથમ વખત ઓર્ગેનિક ખેતી કરી વિવિધ પાકો વાવવામાં આવ્યા હતા, આ ખેડૂતે પોતાના ખેતરમાં દવા કે રાસાયણિક ખાતર નો ઉપીયોગ કર્યો ન હતો, સમગ્ર ખેતી ઓર્ગેનિક કરી મોટો લાભ મેળવ્યો છે. પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખાતરનો ઉપીયોગ કરી ખેતરમાં પપૈયા, ટેટી, તરબૂચ વાવ્યા હતા. ઓર્ગેનિક ખેતીથી વાવેલા તરબૂચ ખૂબ મીઠા અને શરીર ને ફાયદાકારક હોય છે.
જીવામૃત અને પંચામૃત નો ઉપયોગ
આ ખેડૂતે પોતાના ખેતરમાં ગાયોનું ગૌમૂત્ર, દેશી લીંબડો, ગોબર ભેગું કરી અને ગોમૂત્ર માંથી બનતું જીવામૃત અને પંચામૃતનો ઉપીયોગ કરી તરબૂચનો બમણો પાક લીધો હતો.
વાડી ખાતેથી 60 મણ તરબૂચ વેચે છે
આ ખેડૂતે ઓર્ગેનિક ખેતી માટે તેની ગાયો ના ગોમૂત્ર અને ગોબર નો ઉપીયોગ કરી દરરોજ 100 મણ તરબૂચ ની ઉપજ મેળવી 80 મણ તરબૂચ પોતાની વાડી ખાતેથી વેચાણ કરે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.