તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીને લઈ મોટાભાગના મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. જે અંતર્ગત કેશોદ તાલુકાના માણેકવાડા ગામે પણ માલબાપા મંદિરના દ્વાર પણ બંધ હતા. હવે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. અને સરકાર દ્વારા પણ છૂટછાટ અપાઈ છે ત્યારે માલબાપા મંદિરના સંપૂર્ણ દરવાજા ખોલવામાં આવ્યા છે. અને લોકો દર્શનનો લાભ લઇ રહ્યાં છે. જોકે, અહીં આવતાં ભાવિકોએ જાતે જ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
જેમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું જોઈએ. જેથી કોરોના સંક્રમણથી બચી શકાય. અત્રે ઉલ્લેખનિય છેકે, થોડા સમય પહેલાં મંદિરનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. અને સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી દર્શનનો લાભ લઇ શકાતો હતો. હવે સવારે 6 થી રાત્રે 9 સુધી મંદિર ખુલ્લું જ રહેશે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.