તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેશોદ પંથકમાં આ વર્ષે ઉંચા ભાવ રહેતાં 160 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. જેમાં ખાસ કરીને શહેરથી પૂર્વ તરફના અજાબ, મેસવાણ, કરેણી તેમજ કેવદ્રાના ખેડુતોએ સરેરાશ 15 વિઘા પીળી પટ્ટી અને લાલ પટ્ટી ડુંગળીના બિયારણનું વાવેતર કર્યું હતું. સામાન્ય રીતે ડુંગળીનું બિયારણ તૈયાર કરવા 6 મહિના લાગે. આથી ડુંગળીના કંદમુળને ફેંકી દેવું પડતું હોવાથી તેનો બીજી વખત લાભ મળતો નથી.
આ વર્ષે ખેડુતોએ બિયારણ પકાવવા 20 થી 25 હજારની ડુંગળી ખરીદીને વાવેતર કર્યું હતું. પણ વાતાવરણમાં સતત ઝાકળને લીધે 75 ટકા બિયારણ નિષ્ફળ ગયું છે. આમ જ્યારે આવતા વર્ષે ખેડુતોને પાેતાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કરવા બિયારણ તૈયાર કરવાનો સમય આવ્યો એ પહેલાં સતત ઝાકળ વરસતાં પાક નિષ્ફળ ગયો હતો. આથી આવતા વર્ષે ખેડુતોએ ડુંગળીનું વાવેતર કરવા ઉંચી કિંમત ચૂકવવી પડશે. જેને લઇ ખેડુતો ચિંતીત બન્યા છે.
વીઘે 75 હજારની નુકસાની વેઠવી પડશે
ખેડુતોને 1 વિઘામાં 100 કિલો બિયારણ ઉતરે તો 1 થી 2 લાખ રૂપિયાની ઉપજ થાય. આ વર્ષે વીઘે 75 હજારની નુકસાની વેઠવી પડશે.
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.