બાંટવા પાલિકા વિસ્તારમાં આવતા રહેણાંક તેમજ શોપીંગ સેન્ટરમાં દુકાનો ધરાવતા વેપારીઓને છેલ્લા ઘણા સમયથી પાલિકા દ્વારા વારંવાર બાકી વેરો ભરી જવા જાણ કરવામાં આવી હોવા છતાં મિલ્કતવેરો ભરવામાં ન આવતા પાલિકા દ્વારા શહેરમાં 30 જેટલા બાકીદારોની નોટીસ બજવણી કરી મિલ્કત સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગેની મળતી વિગત મુજબ બાંટવા પાલિકાના તળાવ વિસ્તાર, કૃષ્ણપરા, તિલક રોડ, શાકમાર્કેટ પાસે તથા માણાવદર રોડ વિસ્તારમાં મિલ્કત ધારકોને નોટીસ અાપવામાં આવી છે. શહેરમાં 150 જેટલા બાકીદારો 3 દિવસમાં બાકીવેરો ભરી જવા કડક સુચના અપાઈ છે. જેમાંથી આજે 30 જેટલી મિલ્કતો, દુકાનો, ઘર સહિત સીલ કરાયા છે. આ કાર્યવાહીને લઈ બે અરજદારોએ સ્થળ પર જ વેરાની ભરપાઈ કરી હતી. આ કામગીરીમાં પાલિકાના વહિવટદાર મારૂભાઈ, ચીફ ઓફિસર પી.બી.પરમારના માર્ગદર્શન હેઠળ ટેક્ષ શાખાના મનોજભાઈ રાઠોડ, ઓફિસ સુપ્રિટેન્ડન્ટ રોહીતભાઈ વાઢેર જોડાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.