તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગર નજીકના કનસુમરા ગામમાં ઔદ્યોગિક એકમોનો દુષિત પાણીનો જાહેરમાં નિકાલ કરાતા ત્યાં કેમિકલ યુકત પાણીના તલાવડા બની ગયા છે. જયારે આ વિસ્તારના પાણીના તળ પણ ખરાબ થઇ જતાં લોકોમાં રોષ છે અને તંત્ર પાસે કડક પગલા ભરવાની માંગ કરાઇ છે.
જામનગર પાસેના કનસુમરા ગામમાં ઔદ્યોગિક એકમો આવેલા છે, આ એકમોમાંથી નિકળતા દુષિત કેમિકલ યુકત પાણીનો યોગ્ય નિકાલ કરવાના બદલે તેને જાહેરમાં છોડી દેવામાં આવે છે. જેના કારણે કનસુમરા ગામ અને તેના આજુબાજુના વિસ્તારોમાં કેમિકલયુકત લીલા કલરના પાણીના તલાવડા બની ગયા છે. જે જમીનમાં ઉતરતા ત્યાંના તળ પણ દુષિત થઇ ગયા છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે અવાર-નવાર રજૂઆત કરવા છતાં પ્રદુષણ વિભાગ કે અન્ય તંત્ર આ બાબતને ગંભીરતાથી લેતું નથી, જેના કારણે લોકોનો સ્વાસ્થ્ય પર ગંભીર અસર થાય તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે.
દુષિત પાણીનો અહેવાલ વડી કચેરીને મોકલાવ્યો છે
કનસુમરા ગામમાં દુષિત પાણી અંગેની ફરિયાદ અમને મળી હતી, અમે તપાસ કરતા તે ઔદ્યોગિક એકમોમાંથી છોડાતું પાણી નજરે પડયું હતું અને તેના સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી તપાસ કરાવતા તે દુષિત હોવાનું સામે આવતા વડી કચેરીને આ અંગે પગલા લેવા જણાવ્યું છે.> એ.ડી. ભીમાણી, પ્રાદેશિક અધિકારી, જીપીસીબી, જામનગર.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.