જામનગર શહેરમાં છીપરફળી, ભોઈવાડો, સુભાષ માર્કેટ પાસે રહેતા અને સિક્યુરીટી ગાર્ડ, છૂટક મજુરીકામ કરતા ભોઈ જ્ઞાતિના પરેશ હરકિશનભાઈ આશાવર જામનગરથી અમરનાથ યાત્રાએ ચાલીને તા. 9ને સોમવારના સિઘ્ઘનાથ મહાદેવના મંદિરથી યાત્રાનો પારંભ કર્યો છે.
જામનગરથી અમરનાથ સુધીની પદયાત્રા શહેરના ભોઈ જ્ઞાતિના પરેશ હરકિશનભાઈ આશાવર તા. 9ના પ્રારંભ કર્યો છે, તેઓ જામનગરથી અમરનાથની સાયકલ યાત્રા છેલ્લા 10 વર્ષથી કરે છે. આ વર્ષે તેઓ ચાલીને અમરનાથ સુધીની યાત્રા કરશે તેમજ કચ્છ માતાના મઢે પગપાળા યાત્રા તથા ચોટીલા અસંખ્યવાર સાયકલ યાત્રા કરી ચુકયા છે.
પગપાળા યાત્રા કરવાનો માત્ર એક જ હેતું છે કે, કોરોના કાળમાં જે ઓફીસર, પોલીસ ઓફીસ, હોમગાડ ઓફીસર, ડોકટરો, સફાઈ કર્મીઓ કે જેઓ કોરોનામાં ખડેપગે ઉભા રહી પોતાની ફરજ નિભાવી છે તેનું કલ્યાણ થાય અને ગો હત્યા બંધ કરવા અનુરોધ કર્યો છે તથા સરહદ ઉપર થયેલા શહીદોને શ્રધ્ધાંજલી આપવાનો તેમનો મુખ્ય આશય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.