જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હોળી- ધુળેટીના તહેવારને લઈને જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર આવેલા પતાસા બનાવવાના એક કારખાના પર દરોડો પાડયો હતો, અને ત્યાંથી પતાસાને લગતા જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે.
જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર જગડના ડેલામાં ધીરજલાલ ભગવાનદાસ નામના વેપારી દ્વારા પતાસા બનાવવાનું કારખાનું ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આજ સવારે મહાનગરપાલિકાની ફૂડ શાખા સ્થળ પર પહોંચી જઈ દરોડો પાડવામાં આવ્યો હતો. જયાંથી તૈયાર પતાસાના સેમ્પલો તેમજ તેમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુ વગેરેના સેમ્પલો લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે અને સાફ સફાઈ અંગે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.