ખંભાળિયાના સતવારા સમાજના વીર સપૂત સુબેદાર હરેશભાઈએ માં ભારતીની રક્ષા કાજે જબલપુરમાં શહીદી વહોરી હતી. ત્યારે શહીદની ખંભાળીયા ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરવામાં આવી હતી. તેમની સ્મશાનયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
દેશની આર્મીમાં ફરજ બજાવતા ખંભાળિયાના સપૂત બે દિવસ પહેલા મધ્યપ્રદેશના જબલપુર ખાતે શહિદ થયા હતા. ત્યારે તેમનો પાર્થિવ દેહ વતન ખંભાળીયા ખાતે લઈ આવવામાં આવ્યો હતો. ત્યારે શહીદના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિધિ કરવામાં આવી હતી.
ખંભાળિયાના વતની અને સતવારા સમાજના વીર સપૂત હરેશભાઈ સવજીભાઈ હડીયલ મધ્યપ્રદેશના જબલપુરમાં આર્મીમાં ફરજ બજાવતા હતા. ત્યારે ફરજ દરમિયાન તેઓ બે દિવસ પૂર્વે શહીદ થયા હતા. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને તેમના વતન ખંભાળીયા ખાતે લઇ આવ્યા હતા.
અહીં નાંદલા સ્કૂલ કંડોળા રોડથી કામનાથ મહાદેવ પાસે આવેલા સ્મશાને તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવ્યો હતો. તેમની સ્મશાન યાત્રામાં સતવારા સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.